home share

કીર્તન મુક્તાવલી

(૧) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

તા. ૫-૧૧-’૫૫, સ્વામીશ્રી અને સંતો નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આગ્રહથી ભાવનગર પધાર્યા હતા. બીજે દિવસે સાંજે સ્વામીશ્રીનો સત્કાર સમારંભ ટાઉનહૉલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રમુખપદે રાખવામાં આવ્યો હતો... પ્રસંગોપાત્ત સ્વામીશ્રીએ અહીં અનુભવ-વાણી ઉચ્ચારતાં જણાવ્યું:

... ‘ભાગ્ય જગ્યાં રે આજ જાણવાં...’ એ કીર્તનમાં આવ્યું કે ‘થયા કોટિ કલ્યાણ.’ ત્યારે કહે, “કોટિ કલ્યાણ શું? જીવકોટિમાંથી બ્રહ્મકોટિમાં મૂક્યા. જ્યાં-ત્યાં ભટકતાં, તે સ્વામી-શ્રીજીનો સાક્ષાત્ સંબંધ થયો અને એમાં મન પરોવાઈ ગયું. બળ રાખવું, કેફ રાખવો. નવીન વાત જીવમાં ઉતારવી. સંત મળ્યા, હવે જીવપણું ટળી જાવું જોઈએ.

“કલકત્તાના ગવર્નરનો તાર આવે તો કેટલો કેફ ચડી જાય? આપણને હવે હરિ મુખોમુખ મળ્યા. મોટાપુરુષની કૃપા થઈ તો કેફમાં રહેવું.

“ભેગા રહીને મહિમા જણાય એ ખરું. છેટે મહિમા સહુ જાણે. નાસ્તો ખેંચી લે ત્યારે મહિમા જાણે ત્યારે ખરું. ગોદડું ખેંચી લે, ગરમ પાણીની ડોલ ખેંચી લે, માન ન મળે પણ અપમાન થાય, કુવખાણ થાય અને મહિમા રહે ત્યારે મહિમા ખરો.

“બખતર એવું પહેરવું કે ટોકર ન લાગે. ટોકર માન-અપમાનની, શબ્દની. ભીડામાં આવવું. માન-અપમાન ન રાખવું. મોળું ગોતવું પણ સારું ન ગોતવું, ત્યારે એકાંતિકની સ્થિતિ.

“દેહભાવ આવવા જ દેવો નહિ. આત્મનિષ્ઠામાં ગુણમાત્ર રહ્યા છે, એવું જ્ઞાન થાય ત્યારે સદાય સુખિયા. હજારો માણસ વખાણે એમાં માલ નથી, કુવખાણે એમાં જ માલ છે. ગ. મ. ૬૩ અને લો. ૧૮ વચનામૃતો પ્રમાણે ભગવાનના ભક્ત બ્રહ્મની મૂર્તિ મનાય. સદાય અહોહોપણું મનાવું જોઈએ. મોટાને ભગવાન સાક્ષાત્ જાણીએ તો તેની દરેક ક્રિયા દિવ્ય જણાય. એવો ભાવ ઉદ્ધવજીને આવ્યો. અત્યારે તો દરેક ક્રિયા ગુણાતીત છે. માટે પ્રાપ્તિ બહુ મોટી છે. આ લાભ જો સમજાઈ જાય તો ધામ છેટું નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

(1) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

On November 5, 1955, at the insistence of Maharaja Krishnakumarsinhaji, Yogiji Maharaj and sadhus arrived in Bhavnagar. The next day, Swamishri was going to be honored in the town hall in presence of the Maharaja. On this occasion, Swamishri said:

“In the kirtan ‘Bhāgya jāgyā re āj jānavā’, the words ‘thayā koti kalyān’ are written. What does that mean? It means one has been placed from the rank of the jiva to the rank of brahma. While we were wandering here and there, we attained the company of Swami and Shriji and our mind became fixed on them. We should keep strength. Imbibe new talks in the jiva. Now that we have attained the Sant, we should cease believing ourselves to be the jiva.

“If one receives a wire from the governor of Kolkata, how ecstatic would he be? We have now met God face to face. We have received grace from the Mota-Purush, so remain ecstatic.

“When one understands the greatness while remaining together is true mahimā. Everyone understand the mahimā while remaining distant. When he snatches your food away and you still understand his greatness, that is real mahimā. He if snatches your blanket away, takes away your hot water pail, he insults instead of honors you, criticizes you... and you still understand his greatness, that is true mahimā.

“One should wear such an armor, that one would not be wounded by honor or insult, or any other words. One should bear burdens. One should look for ordinary things, not the best. That is the state of the ekāntik...”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase